રાજકોટ-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટેન્કર અને ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા દુઃખદ ઘટના બની છે.

પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ અને **એરપોર્ટ પોલીસ**ની ટીમો સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસે અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. મૃતકો અને ઇજાગ્રસ્તોની ઓળખ અંગેની વિગતો સત્તાવાર રીતે જાહેર થવાની બાકી છે.

Leave a Comment

Traffic Tail