ગુજરાત પોલીસના પૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) અરુણકુમાર ભગવનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી પોલીસ બેડા સહિત વિવિધ ક્ષેત્રોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, અરુણકુમાર ભગવ છેલ્લા લાંબા સમયથી કિડની સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા અને સારવાર હેઠળ હતા. તેમની તબિયત નાજુક બનતા તેઓ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
અરુણકુમાર ભગવ ગુજરાત પોલીસના મહત્વના અને અનુભવી અધિકારીઓમાં ગણાતા હતા. તેમની સેવાકાળ દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી અને પોલીસ તંત્રને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
તેમના નિધનથી પોલીસ વિભાગે એક અનુભવી અને વરિષ્ઠ અધિકારી ગુમાવ્યો છે. તેમના અવસાનના સમાચાર મળતા જ પોલીસ અધિકારીઓ, સામાજિક આગેવાનો અને શુભેચ્છકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.
ગાંધીનગર ખાતે તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. તેમના પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકોમાં શોકની લાગણી વ્યાપી છે.









