Ministry of Home Affairs દ્વારા એક ખાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી ઓનલાઈન ફ્રોડમાં ગુમાવેલી રકમ પરત મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.
🔹 ₹50,000 સુધીની ફ્રીઝ થયેલી રકમ તાત્કાલિક પરત મળી શકશે.
🔹 ₹50,000થી વધુ રકમ માટે પોલીસ ફરિયાદ અને અદાલતી આદેશ જરૂરી રહેશે.
🔹 કેટલી રકમ ફ્રીઝ થઈ છે તે પરતફેરની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ રહેશે.
🔹 છેતરપીંડી થતાં જ તાત્કાલિક ફરિયાદ નોંધાવવી જરૂરી છે.
ફરિયાદ કર્યા બાદ National Cyber Crime Reporting Portal પરથી મળનાર ખાસ ID (Acknowledgement Number)ના આધારે આગળની કાર્યવાહી થશે.
સાયબર ફ્રોડનો ભોગ બનતા જ 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવો અને તરત ફરિયાદ નોંધાવવી ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે ઝડપથી કાર્યવાહી થવાથી રકમ ફ્રીઝ થવાની અને પરત મળવાની શક્યતા વધી જાય છે.









