ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકની શરૂઆત પૂર્વ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને વધુ સ્માર્ટ, સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ની મહત્વાકાંક્ષી જાહેરાત પણ કરવામાં આવી છે, જેને ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.