Surat માં એક દુઃખદ ઘટના સામે આવી છે. Reena Baraiya નામની 22 વર્ષીય યુવતીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, ભાવનગરની રહેવાસી રીના બારૈયા ઉમિયાધામ અતિથિ ભવનમાં પોતાની 2 વર્ષની દીકરી સાથે રોકાયા હતા. તેમના પતિનું થોડા સમય પહેલાં અવસાન થયું હોવાનું અને તેઓ તેના કારણે માનસિક રીતે વ્યથિત હતા તેવી માહિતી સામે આવી છે.
ઘટના બાદ તેમણે એક સંબંધીને ફોન કર્યો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
Surat Police એ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સાથે જ ભાવનગર ખાતે રહેતા પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા તમામ પરિસ્થિતિઓ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.









